Wednesday 5 September 2018

ગુણવત્તા અભિવૃદ્ધિ (નિદાન - ઉપચાર )


           
                 “દરેક  બાળક ખાસ છે. અભ્યાસમાં પાછળ રહી ગયેલા દરેક બાળકને આગળ વધવાનો અધિકાર છે. પાછળ રહી જવાના કારણો ઘણા છે તેમ આગળ કરવાના ઉપાયો પણ છે.”

                  આજ ભાવ સાથે આમારી શાળાના તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામ કરે છે. ધોરણ થી ૧૨ ના તમામ બાળકોની એકમ કસોટી દ્વારા બાળકોનું નિદાન કરી ઉપચારાત્મક કાર્યની જરૂર હોય તેવા પ્રિય બાળકો માટે  ખુબજ પ્રેમ અને ધીરજ  પૂર્વક ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે.

                 એકમ કસોટી ઉપરાંત ધોરણ થી ૧૨ ના તમામ બાળકોમાટે ૫૦ ગુણની તારીખ: ઓગષ્ટ થી ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન  દ્વિ  માસીક કસોટીનું આયોજન કરવામાં આવ્યું. જેમના પરિણામ બાદ  ૩૧ ઓગષ્ટ-૨૦૧૮ સુધી દરરોજ શાળાના સમય સિવાય શાળા સમય પહેલાનો એક કલાક તમામ શિક્ષકોએ  સ્વેચ્છાએ કામ કરવાનું નક્કી કરી  ઉપચારાત્મક કાર્ય કરાવ્યું.
                 કોઈ કારણસર કક્ષા અનુસાર અભ્યાસમાં પાછળ રહી ગયેલા પ્રિય બાળકોને સંયમ અને નિષ્ઠા પૂર્વકની આપણી મદદ દ્વારા બાળકોની મુશ્કાન પરત લાવવામાં ચાલો આપણે બધા ભાગીદાર બનીએ.




No comments:

Post a Comment

school logo